MORBI:મોરબી મચ્છુ-૨ ડેમના દરવાજા રીપેરીંગ કામગીરીમાં આગામી ૨૩ અપ્રિલના રોજ ૨ દરવાજા ખોલી પાણી છોડાશે. કુલ ૨૯ ગામોને ચેતવણી આપવામાં આવી
MORBI:મોરબી મચ્છુ-૨ ડેમના દરવાજા રીપેરીંગ કામગીરીમાં આગામી ૨૩ અપ્રિલના રોજ ૨ દરવાજા ખોલી પાણી છોડાશે. મોરબી અને માળિયા ના કુલ ૨૯ ગામોને ચેતવણી આપવામાં આવી
મોરબી મચ્છુ-૨ ડેમ ખાતે રીપેરિંગ અને ગેટ બદલવાની કામગીરી માટે તા. ૨૩ એપ્રિલના રોજ બપોરે ૪ વાગ્યે ડેમના બે દરવાજા ખોલી, પાણી છોડવામાં આવશે. જેથી નીચાણવાસમાં આવતા મોરબી તથા માળિયા તાલુકાના કુલ ૨૯ ગામોને ચેતવણી આપવામાં આવી છે કે નદીના પટમાં અવરજવર ન કરે અને તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખે.
મોરબી મચ્છુ-૨ સિંચાઇ યોજના અંતર્ગત જોધપર નદી ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા. ૨૩/૦૪/૨૦૨૫ના રોજ બપોરે ૪.૦૦ વાગ્યે ૨ દરવાજા ૨ ફુટ ખોલી ૧૪૫૬ ક્યુસેકનો પ્રવાહ પસાર કરવામાં આવશે. આથી ડેમના નીચવાસના ગામો જેમાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા(મી) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.