MORBI:મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા કાર્યવાહી ૧૮ રખડતા ઢોર પકડીને ગૌશાળામાં ખસેડ્યા
MORBI:મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા કાર્યવાહી ૧૮ રખડતા ઢોર પકડીને ગૌશાળામાં ખસેડ્યા
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ તા. ૨૩ એપ્રિલ થી ૩૦ એપ્રિલ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૮ રખડતા ઢોર પકડીને આજુબાજુની ગૌશાળામાં ખસેડ્યા હતા, આ દરમિયાન ૩ ઢોર-માલિકો પાસેથી રૂ. ૧૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરાવી, પોતાનાં ઢોર પાછાં મેળવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સર્જાતા ટ્રાફિક અવરોધ, દુર્ઘટનાઓ તથા નાગરિકોના અસંતોષના નિરાકરણ માટે રખડતા ઢોર સામે કડક પગલાં લેવાઈ રહ્યાં છે. જેમાં તા. ૨૩ થી ૩૦ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરી વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દિવસે અને રાતે કરીને રેલવે સ્ટેશન રોડ, અંબિકા રોડ, સુભાષ રોડ, સોમનાથ સોસાયટી, કાયાજી પ્લોટ, નહેરુ ગેટ, મંગલ ભુવન ચોક, નગર દરવાજા, ગ્રીન ચોક, એ-ડિવિઝન પોલીસ સ્ટેશન સામે તથા કબીર ટેકરીના નાલા નજીકથી કુલ ૧૮ ઢોર પકડી પાડવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન પકડાયેલા ઢોરોને નજીકની ગૌશાળાઓમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૩ ઢોરના માલિકોએ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરાયેલા વહીવટી ચાર્જ રૂપે રૂ. ૧૨,૦૦૦/- ભરપાઇ કર્યા બાદ પોતાનાં ઢોર મુક્ત કરાવ્યા હતા.