MORBI:મોરબી મહાનગરપાલિકા નું અમીર ગરીબ નું વલણ? કમિશનર બોલેલું પાળે!
MORBI:મોરબી મહાનગરપાલિકા નું અમીર ગરીબ નું વલણ? કમિશનર બોલેલું પાળે!
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી નગરપાલિકા નેં મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યો ત્યારથી લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે મંજુરી વગર નાં અને કોમન જીડીસીઆર નાં નિયમો નો ભંગ કરનાર નાં નિયમો મુજબ ડીમોલેશન કરશે. પણ સમય જતાં હાલ મહાનગરપાલિકા જે કામગીરી કરી રહી છે તેમાં અમીર ગરીબ નું વલણ અપનાવ્યું હોય તેવું જોવા મળે છે. જ્યાં કોમન જીડીસીઆર નાં નિયમો નું પાલન નહીં થયું હોય તેવાં બાંધકામ નું ડીમોલશન કરવામાં આવશે તેવું નિવેદન ખુદ મહાનગરપાલિકા નાં કમિશનરે મીડિયા સમક્ષ જણાવ્યું છે. તો કોમન જીડીસીઆર નાં નિયમો નું પાલન નથી થયું એવાં બાંધકામ ને નોટીસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી એક નહીં પણ ત્રણ અરજી મહાનગરપાલિકા માં ઇન્વર્ડ થઈ છે તે સીધી ટાઉન પ્લાનીગ વિભાગ ની જવાબદારી માં આવે છે પણ તેમણે પ્રમાણિક ફરજ બજાવી નથી તેવું જણાય છે. વાત છે રવાપર ચોકડી પાસે બની રહેલા બહુમાળી શોપિંગ સેન્ટર જેમાં કોમન જીડીસીઆર નો અમલ થયો જ નથી તો કમિશનરે જે નિવેદન આપ્યું છે તે નિવેદનનું પાલન કરવામાં આવે તેવી છેલ્લી અરજીમાં લેખિતમાં જણાવ્યું છે. પણ અહીં અમીર ગરીબની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આજની તારીખે પણ
કોમન જીડીસીઆરના નિયમોનું ભંગ કરતું શોપિંગ સેન્ટર બિન્દાસ ચણાઈ રહ્યું છે તો અહીં આ અમીર ગરીબની વાત નહીં તો આને શું કહેવાય? તેવો હાલ લોકોમાં સવાલ ઉઠ્યો છે અને આમાં પ્રમાણિક ફરજ બજાવવામાં નિષ્ફળ ગયેલા ટાઉન પ્લાનિંગના જે જવાબદાર અધિકારી છે તેમને ખુલાસો પૂછી અને ખાતાકીય તપાસ કરાવવામાં આવે તો જ આવી અમીર ગરીબની નીતિ અખત્યાર કરવાનું ભુલશે એવું લોકો કહે છે. આ બની રહેલાં બહુમાળી શોપિંગ સેન્ટર માં એક બાજુ રોડ છે. એક બાજુ મચ્છુ ડેમ ની મુખ્ય કેનાલ આવી છે. અહીં એકપણ બાજું બાર મીટર નો રોડ મુક્યો હોય તેવું જણાતું નથી. આ ઉપરાંત પાર્કીગ અને માર્જીન ની જગ્યા છોડી નથી. લે આઉટ પ્લાન માં સોગંદનામું રજૂ થયું છે તેમાં ખોટી વિગતો દર્શાવવામાં આવી હોય તેવું સ્પષ્ટ અરજકર્તા નેં દેખાય છે તો લે આઉટ પ્લાન ઓનલાઇન જેને જોયો છે તે અધીકારીઓને નથી દેખાયું? કે નજર અંદાજ કરવામાં આવ્યું છે? તેવો સવાલ ઉઠ્યો છે. કમિશનર બોલેલું પાળે તેવી માંગણી કરવામાં આવી છે.