MORBI:મોરબીમા રબારી સમાજના યુવાનની હત્યા મામલે વડવાળા યુવા સંગઠનની મૌન રેલી
MORBI:મોરબીમા રબારી સમાજના યુવાનની હત્યા મામલે વડવાળા યુવા સંગઠનની મૌન રેલી
ખાખરાળા ગામે રબારી સમાજના યુવાનની હત્યાના પ્રકરણમાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આજે મૌન રેલી યોજવામાં આવી છે.
ખાખરાળા ગામે સ્વ.કિશન જગદીશભાઈ કરોતરાની થયેલ નિર્મમ હત્યામાં આરોપીની હજુ સુધી ધરપકડ થયેલ નથી. જે બાબતે રબારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેને લઈને શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આજે સામાકાંઠે કેસરબાગથી મૌન રેલીનું આયોજન ક૨વામાં આવ્યું છે. આ રેલીમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. વધુમાં આ રેલી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી મૌન રેલી યોજાઈ ત્યાં ડીવાયએસપી ને આવેદનપત્ર આપવામાં આવ્યું આ નિર્દોષ યુવાનની હત્યાનાં આરોપીને કડક સજા થાય તેમજ વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું