GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સરલાના પ્રકૃતિપ્રેમી યુવાન ની રાષ્ટ્રીય પક્ષી “મોર” ઉછેર માટે થનગનાટ, આશરે ૫૦ થી વધું મોરનો કર્યો ઉછેર દરરોજ 400 રૂપિયાનો ખર્ચ

તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિપ્રેમી યુવાન એવા રાકેશભાઈ બોચીયા ઉર્ફે લાલાભાઈએ મોર ઉછેરનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે છેલ્લા ચાર વર્ષ થી નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી એવા મોરના બચ્ચા ઓને પાણી ચણની સ્વખર્ચે સેવા આપે છે જેમાં હાલમાં મોરની સંખ્યા ૫૦ ઉપર થ‌ઈ છે અને તેઓને જોઈને “ટહૂકા” કરી પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્ય સરલા ગામે વહેલી સવારે જોવા મળે છે રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નોકરી કરતાં હોય તેમાંથી દરરોજ અનાજ ચણ માટે ૪૦૦ રૂપિયા નો ખર્ચ થાય છે અને સવાર સાંજે ટાઈમસર હાજરી આપવી પડતી હોય છે ફકત પાંચ મોર હતા ત્યારે થી તેઓ કાર્યરત હતા આજે ૫૦ ઉપરની સંખ્યા થતા મને આનંદ છે નાનો હતો ત્યારથી મોર પ્રત્યે મને લગાવ અને લાગણી હતી અને મને પ્રિય પક્ષી મોર હતા એટલે તેનો ઉછેર થાય અને સંખ્યા વધે એ માટે પ્રયત્ન સાથે કામગીરી ચાલુ કરવામાં આવેલ અને આજે પચ્ચાસ ઉપરની સંખ્યા થ‌ઈ છે એના ટહૂકાથી મને આનંદ માણવા મળે છે આવનાર સમયમાં હજુ પણ સંખ્યા વધે તે માટે મારા પ્રયત્નો રહેશે ખરેખર મોર એક લાગણીશીલ પ્રેમાળ પક્ષી છે હાલ વૃક્ષઓની સંખ્યા ઘટતી જાય છે ત્યારે તેઓને રહેવાની ખુબ જ તકલીફો ઉભી થતી હોય સાથે વન્યપ્રાણી ઓનો પણ ભય રહે છે ત્યારે મોર બચાવવા પણ એક કઠીન કામ છે ત્યારે સરલાના લાલાભાઈ એક ઉમદા કાર્ય કરી સરલા નું નામ પણ ગુજરાત ફલક ઉપર લ‌ઈ ગયા છે.

Back to top button
error: Content is protected !!