
તા.૨૪.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બ્રહ્માકુમારી દ્વારા દાદી પ્રકાશમણીજીની ૧૮મી પૂણ્યતિથિ અને વિશ્ર્વ બંધુત્વ દિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પ
દાહોદ.બ્રહમાકુમારીઝ સંસ્થા ના પૂર્વ મુખ્ય પ્રશાશિકા દાદી પ્રકાશમણીજી ની ૧૮ મી પુણ્યતિથી નિમિત્તે તથા વિશ્ર્વ બંધુત્વ દિવસ નિમિતે બ્રહ્માકુમારી દાહોદ દ્વારા દાહોદ કેન્દ્ર ખાતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ ના સહયોગથી મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ.સદગુરુ ફાઉન્ડેશન
ના શર્મિષ્ઠાબેન જગાવત રેડ ક્રોસ સોસાયટી ના ચેરમેન ગોપાલભાઈ ધાનકા દાહોદ સેવા કેન્દ્ર ના સંચાલિકા બ્ર.કુ કપિલાબેન રેડ ક્રોસ સોસાયટી ના વાઇસ ચેરમેન ડો ધર્મેન્દ્ર અગ્રવાલ માનદ મંત્રી રાજેશભાઈ ભટ્ટ ખજાનચી જવાહર ભાઈ શાહ રાજ્ય રેડ ક્રોસ ના પ્રતિનિધિ સાબીર શેખ સહમંત્રી નરેન્દ્રભાઈ પરમાર કારોબારી સભ્યો ડોક્ટર ઈકબાલહુસેન લેનવાલા કમલેશભાઈ લીમ્બાચીયા રોટરી સેવા સંસ્થા ના પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા તેમજ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્ર્વ વિધાલય દાહોદ ના ભાઈ બહેનો ની ઉપસ્થિતિમાં માનવસેવા માટે રક્તદાન કેમ્પ યોજાયો આ કેમ્પ માં ઉપસ્થિત મહાનુભાવો એ રક્તદાન તથા માનવસેવા માટે ઉદબોધન કર્યું હતુ કેમ્પમાં મનદ સેવા આપનાર મુકુંદભાઈ કાબરાવાળા બ્લડ બેન્ક નો સ્ટાફ તથા ડોક્ટર બનોદીયા એ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પ માં ઉત્સાહ પૂર્વક રક્તદાન કરી યુવાન અને યુવતીઓ એ ધન્યતા અનુભવી હતી





