TANKARA:ટંકારાના તાલુકાના લજાઈના ઉમિયા માનવ મંદિર ખાતે પોલીસ કર્મીઓએ વડીલોને કર્યું રક્ષાબંધન




TANKARA:ટંકારાના તાલુકાના લજાઈના ઉમિયા માનવ મંદિર ખાતે પોલીસ કર્મીઓએ વડીલોને કર્યું રક્ષાબંધન


મોરબી જિલ્લાના, ટંકારા તાલુકાના, લજાઈ ગામે આવેલ, પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ – મોરબી સંચાલિત,’ માનવ મંદિર ‘સંસ્થામાં વડીલોનો વસવાટ કરવામાં આવે છે આ તમામ વડીલોને ટંકારા તાલુકાના પોલીસ સ્ટેશન સ્ટાફ પ્રવીણભાઈ મેવા (પો.હે.કોન્સ.) જયપાલસિંહ ઝાલા ( પો .હે.કોન્સ.) કિરણબેન ઢેઢી( કોન્સ્ટેબલ) મોનિકાબેન બી.(કોન્સ્ટેબલ ) વગેરે કર્મયોગી બંધુ – ભગીનીઓએ, આજરોજ “રક્ષાબંધન “પર્વ નિમિત્તે માનવ મંદિરમાં રહેતા વડીલ ભાઈ- બહેનો, સેવકો અને કામદારો તમામને, તિલક કરી, રક્ષાબંધન સાથે મોં મીઠા કરાવી, ઉત્સવની ઉજવણી કરવામાં આવી, એ સમયે પવિત્ર, આત્મીય, સ્નેહસભર વાતાવરણ નિર્માણ થયું આ ઉત્સવમાં સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, તેમજ કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલા ઉપસ્થિત રહીને પોલીસ દ્વારા આ પ્રેરણાદાયી કાર્યને વધાવ્યું હતું.



