ANJARGUJARATKUTCH

અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૧૦ જુલાઈ  : અંજાર તાલુકાની કુંભારીયા કેન્દ્ર નંબર ૨૭, હાલેપૌત્રા વાંઢ ( ખીરસરા) કેન્દ્ર નંબર ૪૪ અને ચકારમોરાવાંઢ કેન્દ્ર નંબર ૫૦ તથા સોનલનગર મેઘપર બોરીચી કેન્દ્ર નંબર ૧૩૪ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ અંજાર મામલતદાર કચેરીથી મેળવીને વિગત ભરીને અરજી તા.૧૯/૦૭/૨૦૨૫ના કચેરી સમય સુધીમાં મળે તે રીતે ટપાલથી/રૂબરૂ મામલતદાર કચેરી અંજાર ખાતે મોકલી આપવાનું રહેશે. તા.૧૯/૦૭/૨૦૨૫ બાદ મળેલી અરજી ધ્યાને લેવામા આવશે નહીં.જેમાં ઉમેદવારી માટેની જરૂરી લાયકાત શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી પાસ રહેશે. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહીં મળે તો તેનાથી નીચે ધોરણ –૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. તમામ ઉમેદવાર માટે વય ૨૦થી ૬૦ વર્ષની રહેશે. આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે.અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ આપવાની રહેશે. ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.) રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધાર, એસ.બી.આઇ. બેંક ખાતા નંબર/પાસબૂકની ઝેરોક્ષ નકલ તબીબી પ્રમાણપત્ર પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર ( ફોજદારી ગુનો નોંધાયેલો ન હોવા અંગેનું) ઉપરોક્ત તમામ આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. અરજદારે અરજી ફોર્મ અધિકારીશ્રીની ખરાઈ કર્યા બાદ જ આવક શાખામાં રજૂ કરવું. ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં તેમ મામલતદારશ્રી, અંજારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!