WANKANER:સામાજિક,રાજકીય અને પત્રકારત્વ ક્ષેત્રે બહોળી નામનાં ધરાવનાર અર્જુનસિંહ વાળા નો આજે જન્મ દિવસ..
સામાજિક,રાજકીય અને પત્રકારત્વ ક્ષેત્રે બહોળી નામનાં ધરાવનાર અર્જુનસિંહ વાળા નો આજે જન્મ દિવસ..
અનેક પ્રજાવસ્તલ કાર્યો કરી ગરીબ અને મધ્યમ પરીવારનાં લોકોનો અવાજ બન્યા છે.
વાંકાનેર:તાલુકાના નાનું એવું ગામ ગારીયા ના વતની અર્જુનસિંહ વાળાનો આજે જન્મ દિવસ છે. અર્જુનસિંહ વાળા છેલ્લા પાંચ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પત્રકારત્વથી શરૂવાત કરી સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે પણ ખૂબ બહોળી નામના હાંસિલ કરી છે. RTI એક્ટિવિસ્ટ તરીકે પણ તેમને ખૂબ સારી એવી કામગીરી કરી ગુજરાત સરકારની IPDS વેબ પોર્ટલમાં સુધારાઓ કરાવ્યા હતા.વાંકાનેર તાલુકા વિસ્તારમાં તેમજ ગુજરાત ભરમાંથી તેમને અવારનવાર મદદ માટે કોલ આવતા હોય છે. અર્જુનસિંહ વાળા દ્વારા વાંકાનેર તાલુકા વિસ્તારમાં વાહન નમ્બર પ્લેટમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે પણ લોકોમાં જાગૃતતા લાવવા માટે સરકારી ભાવ મુજબ વાંકાનેરનાં લોકોને વાંકાનેરમાં જ HSRP નમ્બર પ્લેટ વાહનોમાં ફિટ થઈ જાય એ માટે બે વાર RTO વાહન નમ્બર પ્લેટ ફિટિંગ કેમ્પનું પણ આયોજન કરે હતું.તેમજ હાલમાં વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ મેદાનમાં શિવાજી સેના દ્વારા યોજવામાં આવશે સમૂહ લગ્ન સમિતિના તેવો આયોજક હતા.ત્યારે આજે અર્જુનસિંહ વાળાનો જન્મ દિવસ હોઈ તેમના સગા, સબંધીઓ,મિત્ર વર્તુળ માંથી ફોન પર તેમજ સોશિયલ મીડિયા થકી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.