BANASKANTHATHARAD

થરાદમા આવેલ એમ.એસ.ડી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

5 જૂન

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

 

થરાદ ખાતે આવેલી એમએસડી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે વન વિભાગ તેમજ એમ.એસ.ડી શાળા પરિવાર તરફથી વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં આમંત્રિત મહેમાનો શ્રી હેમજીભાઇ પટેલ (પીએ શ્રી.શંકરભાઈ ચૌધરી ) ,શ્રી જીવરાજ બા ,શ્રી દાનાભાઈ માળી, શ્રી રૂપસિંહભાઇ પટેલ સાહિત્યકાર શ્રી તગજીભાઈ બારોટ , શ્રી ઉમેદસિંહ ચૌહાણ ઇઢાટા, શ્રી અભેરામ ભાઈ રાજગોર સંસ્થા નાં ટ્રસ્ટી શ્રી ભરતભાઈ અને શ્રી ઉમેદભાઇ તેમજ શાળાના આચાર્યશ્રી વિક્રમભાઈ પટેલ સહિત સર્વે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ એમ એસ ડી સ્કુલ નાં પ્રાંગણ મા વન વિભાગ નાં સહયોગ થી કરવામાં આવ્યુ. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સેજલબેન દ્વારા વૃક્ષો વાવવા તેમજ પ્રકૃતિનું જતન કરવા માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓ શાળાના શિક્ષક ગણ તેમજ આમંત્રિત મહેમાનોને શપથ લેવડાવ્યા હતા વૃક્ષારોપણ બાદ ઉપસ્થિત સર્વે અંબાજી ખાતે સીએમ દ્વારા એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ ડે ના ઉપ્લક્ષમાં યોજાયેલ કાર્યક્રમ નુ લાઈવ પ્રસારણ નિહાળ્યુ હતુ. આમંત્રિત સર્વ મહેમાનોને તુલસીનો છોડ અને પુસ્તક આપી ને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
અત્રે ઉપસ્થિત પત્રકાર મિત્રો શ્રીહાજાજી રાજપુત તેમજ શ્રી ભરતસિંહ રાજપુત નુ સન્માન શાળા પરિવાર દ્વારા પુસ્તક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા તુલસીનો છોડ આપીને કરવામાં આવ્યુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!