૨૫ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી સાયકલ સવારી કરી કરવામાં આવી. કેશોદ સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ દિપેન અટારાએ મિત્રો સાથે શહેરના માર્ગ પર સાયકલ સવારી કરી લોકોને તંદુરસ્ત સ્વાસ્થ્ય હેતુ દરરોજ સાયકલ સવારી કરવા અપીલ કરી જેથી પ્રદૂષણ પણ ઘટશે સાથે સાથે શરીરની ફિટનેસ પણ રહેશે તેવી માહિતી આપી સાથે સાથે લોકોને ફાર્મસી પ્રોફેશન વિશે માહિતગાર કરેલ અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તકે શહેરના સાયકલિસ્ટ આ ઉજવણીમાં સાથે જોડાયા હતા.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ