NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકાના દ્વારા આગામી આવતા પર્વ નિમિતે કતલખાનાઓ તેમજ વેચાણ બંધ રાખવા જાહેરનામુ બાહર પડાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ–નવસારી
Navsari: નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને આગામી આવતા પર્વ નિમિતે જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. જેમાં તા.૬/૪/૨૦૨૫ દિને રામ નવમી અને તા. ૧૦/૪/૨૦૨૫ ના દિને મહાવીર જયંતી પર્વ નિમિત્તે, નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મચ્છી, મટન અને ચીકનનું વેચાણ કે સંગ્રહ (સ્ટોર) કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત આદેશનું ઉલ્લંઘન પર યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી..




