GUJARATLUNAWADAMAHISAGARUncategorized

વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા જેથરીબોર ખાતે વળતર વનીકરણ યોજના કેમ્પા હેઠળ થયેલ કામગીરીની મુખ્ય વન સંરક્ષક વડોદરાએ લીધી મુલાકાત

આસીફ શેખ લુણાવાડા

વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા જેથરીબોર ખાતે વળતર વનીકરણ યોજના કેમ્પા હેઠળ થયેલ કામગીરીની મુખ્ય વન સંરક્ષક વડોદરાએ લીધી મુલાકાત

જંગલ વિસ્તારના બોડા ડુંગરો પર પચાસ હેકટર વિસ્તારમાં ૫૫,૫૫૦ જેટલા કણજ,ગરમાળો,કરમદા,સાગ,વાંસ અને બેડા જેવા રોપાઓનું થયેલ છે વાવેતર

પર્યાવરણની સમતુલાની જાળવણી અને વનોનું રક્ષણ તેમજ સંવર્ધન વિકાસ માટે જરૂરી છે.ત્યારે મુખ્ય વન સંરક્ષક વડોદરા વન વિભાગના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારના બોડા ડુંગરો પર વનીકરણની કામગીરી અંતર્ગત વળતર વનીકરણ યોજના કેમ્પા હેઠળ જિલ્લા વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા જેથરીબોર ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૫૦ હેકટર વિસ્તારમાં ૩x3x3 વાવેતર અંતરે વિવિધ પ્રકારના ભુમિ ભેજ સંરક્ષણના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમા ૫૫,૫૫૦ કણજ,ગરમાળો,કરમદા,સાગ,વાંસ અને બેડા જેવા રોપાઓનું વર્મી કમ્પોસ્ટ ખાતર સહિત જમીનના પોષક તત્વો સાથે વાવેતર કરવામાં આવ્યું છે.

જેની મુલાકાત મુખ્ય વન સંરક્ષક વડોદરાના ર્ડો.અંસુમન શર્માએ લીધી હતી અને થયેલ કામગીરી સમીક્ષા કરી સંતોષ વ્યકત કર્યો હતો. આ મુલાકાત સમયે નાયબ વન સંરક્ષક  નેવીલ ચૌધરી અને રેંજ ફોરેસ્ટ ઓફિસર વી એન હારેજા સહિત લુણાવાડા રેંજના વન કર્મીઓ ઉપસ્થિત રહયાં હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!