GANDEVIGUJARAT

*ચાલો, સમજીએ ચૂંટણી સંબંધિત શબ્દાવલી ભાગ- 2*

*આદર્શ આચાર સંહિતા એટલે શું ?*

આપણે ચૂંટણી અને તેના જાહેરનામા અંગે વિગતે જાણકારી મેળવી. હવે આગળ વધીએ અને ચૂંટણી સાથે સંલગ્ન બીજા મહત્વના પાસાને સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીએ.

ચૂંટણી જાહેર થતા જ અખબારોમાં ખાસ વાંચવામાં આવે છે ‘આદર્શ આચાર સંહિતા’. ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાના પાલન ઉપર જિલ્લા તંત્ર દ્વારા વિશેષ ભાર મુકવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયામાં આ શબ્દ ખુબ જ અગત્યનો છે. શા કારણે લાદવામાં આવે છે આદર્શ આચાર સંહિતા જેના પાછળના કારણો પણ રસપ્રદ છે.

*આદર્શ આચાર સંહિતા એટલે મૉડલ કોડ ઑફ કન્ડક્ટ.*
આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણી પંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે, જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે, અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે.

આચાર સંહિતાના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્ય પોતાના અધિકારીક પદોનો hi 7uu777úચૂંટણીના પ્રચાર માટે દુરુપયોગ ન કરે. જેના દ્વારા સામાન્ય જનતામાં કોઇ એક પક્ષ પ્રત્યે વધારે કે વિશેષ પ્રચારનો અવકાશ ન રહેતા, તમામ પક્ષોને જનતા સુધી પોતાની વાત મુકવાની સમાન તક મળે, અને જનતાને વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે.

*આચાર સંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય?*
આચાર સંહિતા લાગુ થયા બાદ તેના નિયમોનો અનુસરવા જરૂરી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો શું ન કરી શકે તેના મુખ્ય મુદ્દાઓ અહીં છે.

– કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
– કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના u7u7jકર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી, અને જરૂરી જ હોય તો ચૂંટણીવપંચની મંજૂરી બાદ જ બદલી કરી શકાય છે.
– સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.
– ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.
– સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં નહીં વાપરી શકાય, જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
– સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેરાત સરકારી ખર્ચે આપી શકાતી નથી.
– સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હઠાવી દેવામાં આવે છે.
– કોઈ પણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં.
– મતદાનના દિવસે દારૂની દુકાનો બંધ રહે છે. મતદારોને દારૂ કે પૈસા આપવાની મનાઈ હોય છે.
– રાજકીય કાર્યક્રમો પર નજર રાખવા માટે ચૂંટણી પંચ ઑર્બ્ઝવરની નિમણૂંક કરે છે.
– કોઈ પણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી છે.
– સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના આધારે મત નહીં માગી શકે.
– જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચાર સંહિતાનો ભંગ કરે તો ચૂંટણી પંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે.

હવે પ્રશ્ન એ થાય કે આ તમામ બાબતોનું અનુકરણ થાય છે તેની ચકાસણી કઇ રીતે થતી હશે. આ તમામ કામગીરી ઉપર બાજ નજર રાખવા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ટીમો-સમિતિઓની રચના કરવામાં આવે છે.

*બોક્ષ-1*
નવસારી જિલ્લાની વાત કરીએ તો, આદર્શ આચાર સંહિતા (એમસીસી) નો ભંગ બાબતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા કંન્ટ્રોલ રૂમ નંબરઃ- ૦૨૬૩૭-૨૬૦૫૦૦ અને ટોલ ફ્રી નંબર : ૧૮૦૦-૨૩૩-૨૬૨૭, જિલ્લા ડિસ્ટ્રીકટ કોન્ટેકટ સેન્ટર (DCC) હેલ્પલાઈન નંબરઃ- ૧૯૫૦ પર સંપર્ક સાધી શકાય છે. જાગૃત નાગરિકો ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકે તે માટે તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે cVIGIL એપ્લિકેશન બનાવવામાં આવી છે. cVIGIL એપ્લિકેશન મારફત મળેલી ફરિયાદનું માત્ર ૧૦૦ મીનિટમાં નિવારણ કરવાની સાથે ફરિયાદીનું નામ ગોપનીય રાખવામાં આવે છે.

નવસારી જિલ્લામાંથી જાગૃત નાગરિકો વગેરે દ્વારા મળતી ફરીયાદોમાં આજ દિન સુધી કુલ-૩૨ ફરિયાદો મળી છે એમાંથી તમામ ૩૨ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

દરેક જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી શાખા દ્વારા મીડિયા સેન્ટર કાર્યરત કરવામા આવે છે. જેમાં ચૂંટણી કાર્યક્રમ, મતદારો અને મતદાન મથકોની સંખ્યા વગેરે જેવી બાબતો જાહેર જનતાના પ્રદર્શન માટે બેનર દ્વારાn. પ્રદર્શિત ન કરે, તથા ચૂંટણી ખર્ચની મર્યાદામાં કરવામાં આવતી તમામ પ્રકારની જાહેરાતો વગેરે માટે મિડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીની રચના કરી અગાઉથી મંજુરી પત્ર મેળવાનું હોય છે. આ અંગેની નોંધ દૈનિક ધોરણે માહિતી ખાતા દ્વારા લેવામાં આવે છે જેનું રીપોર્ટીંગ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી તંત્રને અને રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા ભારત ચૂંટણી તંત્રને નિયમિત રીતે કરવામાં આવે છે.

આ તમામ પ્રક્રિયા બાદ સૌથી જરૂરી છે ચૂંટણીમાં મતદાન.

આવતા અંકમાં જાણીશું ચૂંટણી તંત્ર દ્વારા મતદારને મળતી સુવિધા અને જાગૃત મતદાર તરીકે દેશ પ્રત્યે આપણી ફરજ શું છે.
00000

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!