ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે ગાયત્રી યજ્ઞમાં પાંચ માળા ગાયત્રી મહામંત્ર દ્વારા આહુતિઓ અર્પણ કરાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે ગાયત્રી યજ્ઞમાં પાંચ માળા ગાયત્રી મહામંત્ર દ્વારા આહુતિઓ અર્પણ કરાઈ

મેઘરજ તાલુકા ગાયત્રી પરિવારના તાલુકા સંયોજક તેમજ મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠના સંચાલક અશોકભાઈ ગૌરીશંકર ઉપાધ્યાયની પાંચ મહિનાથી ચાલી રહેલ વિશેષ સાધનાની પૂર્ણાહુતિ અંતર્ગત ૫ નવેમ્બર, મંગળવારે મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારા ગુજરાત યુવા પ્રકોષ્ઠ- સંયોજક શ્રી કિરીટભાઈ સોની, મોડાસા ગાયત્રી ચેતન કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ તેમજ રશ્મીકાંત પંડ્યા,અરવિંદભાઈ કંસારા, અમરતભાઈ પટેલ, અમિતાબેન પ્રજાપતિ, વૈશાલીબેન ત્રિવેદી તેમજ માલપુર તાલુકાના સંયોજકશ્રી હર્ષદભાઈ ઉપાધ્યાય તેમજ ભિલોડા તાલુકાના જીતેન્દ્રસિંહ રાઠોડ, શામળભાઈ પટેલ તેમજ ગાયત્રી પરિવાર મેઘરજના ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, મયંકભાઇ પંડ્યા, મહેશભાઈ ત્રિવેદી, મિતેશભાઈ પટેલ, થાવરદાસભાઈ દામા, ચેતનાબેન ભટ્ટ, યકીનકુમાર ત્રિવેદી તેમજ બ્રાહ્મણ કોટડાના કનુભાઈ કટારા, સુરેન્દ્રભાઈ કટારા ,પ્રજ્ઞેશભાઈ કટારા તેમજ અશોકભાઈ ઉપાધ્યાયના સ્નેહીજનો હાજર રહી ગાયત્રી યજ્ઞ આહુતિ અર્પણ કરી તેમજ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહી સહભાગી બન્યા.આ યજ્ઞમાં મંત્રોચ્ચાર- વિધિ વિધાનનું રશ્મિભાઈ પંડ્યા તેમજ અરવિંદભાઈ કંસારાએ સંચાલન કર્યું.

Back to top button
error: Content is protected !!