પહેલગામ આતંકી હુમલા ના વિરોધમાં શુક્રવારે કાલોલ હિંદુ સમાજે આપેલ બંધના એલાનને મુસ્લિમ સમાજે સમર્થન જાહેર કર્યું.
તારીખ ૦૧/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાશ્મીર ના પહેલગામમા આંતકવાદીઓએ નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરનાર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ના વિરોધમાં કાલોલના સમસ્ત હિંદુ સમાજ દ્વારા શુક્રવારે પોતાના ધંધા રોજગાર બંધ રાખી બજારો સજ્જડ બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી જેને પગલે કાલોલ મુસ્લિમ સમાજે પણ હિન્દુ સમાજ દ્વારા અપાયેલા કાલોલ બંધના એલાનને સમર્થન જાહેર કર્યું અને પહેલગામમાં થયેલ આંતકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકો માર્યા ગયેલા નિર્દોષ વ્યકિતઓના માનમાં તેઓની આત્માની શાંતિ માટે અને આતંકવાદના વિરોધમાં આવતી કાલે શુક્રવારના રોજ સમસ્ત મુસ્લીમ સમાજ દ્રારા પોતપોતાના વેપાર ધંધા-રોજગાર બંધ રાખીને બંધના સમર્થનમાં જોડાઇ શુક્રવારના રોજ તમામ મુસ્લીમ ભાઈઓ જુમ્માની નમાઝમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાઝ પઢી અને નમાઝ પછી મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન ધારણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.