આણંદ – ખેતરમાં ઓઇલ પામના રોપા વાવીને “વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોંગ ટાઇમ ગેઈન” સાર્થક કરતાં ખેડૂત યાકેશભાઇ
આણંદ – ખેતરમાં ઓઇલ પામના રોપા વાવીને “વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોંગ ટાઇમ ગેઈન” સાર્થક કરતાં ખેડૂત યાકેશભાઇ
તાહિર મેમણ – આણંદ – 20/06/2025 – આણંદ જિલ્લા ના બોરસદ તાલુકામાં ૧૯ વીઘાં ખેતર ધરાવતા ખેડૂતે ‘ઓઇલપામ’ની ખેતી કરી પરંપરાગત રીતે પાક લેતા મોટા ખેડૂતો માટે ખેતી ક્ષેત્રે નવી રાહ ચીંધી છે.
રાજ્ય સરકારના બાગાયત ખાતાના પ્રયાસોથી આજીવન આવક આપતી આ ખેતીને બોરસદ તાલુકામાં ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.
લોકવાયકા છે કે, ચરોતરની જમીનો પર જે કંઇ પણ વાવો કે તે મબલખ પાક આપે છે. તેમ છતાં ૩૦ થી ૪૦ વીઘા જમીન લઇ બેઠેલા ખેડૂતો માહિતીના અભાવે પરેશાન રહેતા હોય છે. આવા જ મોટા ખેડૂતોને બોરસદ તાલુકાના અલારસા ગામના ખેડૂતે તેલ પામની(ઓઇલ પામ) ખેતી કરી તંદુરસ્ત આવક મેળવીને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
ઓઈલ પામની ખેતીએ વાણિજ્ય ક્ષેત્રની વિભાવના મુજબ “વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોંગ ટાઇમ ગેઈન ” ને સાર્થક કરે છે. જે મુજબ એક વખત ઓઇલ પામના રોપા વાવીને તેના ફળસ્વરૂપે સતત ૩૦ વર્ષ સુધી આવક મળતી રહે છે.જેની સાથે સાથે ખેતરમાં બાકી રહેતી જગ્યામાં પણ તે આંતરપાકો દ્વારા વધારાની આવક મેળવી લે છે.
આ કાર્યક્રમ હેઠળ યાકેશભાઈ દ્વારા તેમના પોતાના ખેતરમાં ૬૫૦ થી વધુ ટેનેરા જાતના ઓઇલપામના રોપાઓનું સફળ વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પતંજલિ ફૂડ લિમિટેડના મેનેજર શ્રી ભાનુ પ્રતાપસિંહએ જણાવ્યું કે , ઓઇલ પામની ખેતીનો ખરો લાભ રોપા લગવ્યાના ૫ વર્ષ પછી થશે.પરંતુ આ સમય દરમિયાન પણ ખેડૂત પોતાના ખેતરમાં રિંગણ, ટામેટા, મરચા, દૂધી, તુરીયા જેવા રોકડીયા આંતરપાકો લઈ શકે છે.
આ ઉપરાંત બાગાયત ખાતા દ્વારા પણ તેમને આગામી ચાર વર્ષ સુધી ખેતી સહાય પણ આપવામાં આવે છે.



