કાલોલ તાલુકાની જેતપુર પ્રાથમિક શાળાના આચાર્યને પ્રતિભશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા.
તારીખ ૨૬ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની જેતપુર પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશભાઈ આર મકવાણાને પ્રતિભાશાળી શિક્ષક તરીકે શિક્ષણ સચિવશ્રી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ છે શાળામાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ, નવીનયપૂર્ણ પ્રયોગો,સામાજિક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય ભૂમિકા સાથે ઓન લાઇન શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ બદલ તેઓને આ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. એક ઉત્તમ વક્તા,શ્રેષ્ઠ ઉદ્દઘોષક,સહુથી સફળ સી.આર.સી.કો ઓર્ડીનેટર તરીકે કાર્ય કરનાર,નિષ્ઠાવાન, સર્જનાત્મક અને કર્મઠ શિક્ષક,આગવી વહીવટી કાબેલિયત સાથે હકારાત્મક વલણ ધરાવતા સફળ અને સબળ આચાર્ય તરીકેની તેમની ઉત્તમ કામગીરી માટે મળેલ પ્રમાણપત્ર માટે સમગ્ર શિક્ષણ સમાજ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.