KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સરદાર ભવન ખાતે વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધી ની પુણ્યતિથી ની ઉજવણી

 

તારીખ ૩૧/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ ગુરુવાર ના દસ  કલાકે કાલોલ ના કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ભારતની આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતી અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની ૪૦ મી પુણ્યતિથિ નિમિત્તે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધા સુમન સહ પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, કાલોલ તાલુકા યુવા કોંગ્રેસ ના પ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી કેશવસિંહ સોલંકી. કાલોલ કોંગ્રેસ પરિવારના મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!