GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
આઇ.ટી.આઇ. જૂનાગઢ ખાતે “વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું
આઇ.ટી.આઇ. જૂનાગઢ ખાતે "વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ૨૦૨૬" નું આયોજન કરવામાં આવ્યું

સરકારી આઈ.ટી.આઈ. સંસ્થા જૂનાગઢ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તક કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે “વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુસુચિત જાતિના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે આચાર્ય શ્રી ભગીરથસિંહ જાળીયાએ પ્રેરક સંબોધન કરીને તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય શ્રી ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય શ્રી પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમ આઈ.ટી.આઈ. સંસ્થા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.





