તા.૨૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
શાળાના છાત્રોએ નાટક, રેલી, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર્સ, બેનર્સ અને સ્લોગનથી લોકોને મતદાન કરવાની પ્રેરણા આપી
Rajkot: આગામી તા. ૭ મેના રોજ દેશના તહેવાર સમા લોકશાહીના પર્વમાં ભારતના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ શહેરની માં આનંદમયી કન્યા વિદ્યાલય, પતંજલિ સ્કૂલ અને કે.જી.ધોળકીયા સ્કુલના વિદ્યાર્થીઓએ નાટક, રેલી, ચિત્ર સ્પર્ધા,”મારું મતદાન, મારી ફરજ, મતદાન કરીએ અને કરાવીએ” જેવા સ્લોગન સહીત વિવિધ સ્પર્ધાઓ યોજી લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી. આ સ્પર્ધા થકી મતદાન, સ્વીપ, ઈ.વી.એમ.સહિતની મતદાનલક્ષી તમામ માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ આભિયાનમાં પતંજલિ સ્કૂલ, માં આનંદમયી કન્યા વિદ્યાલય અને કે.જી. ધોળકીયા સ્કુલના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.