તા.૮/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં લોકશાહીના અવસર ચૂંટણીને દીપાવવા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને લોકશાહીના હિતમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે ૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મતદાર વિભાગમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણીના માર્ગદર્શન હેઠળ પુરવઠા કચેરીમાં આવતા અરજદારોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં મતદાતાઓએ “આવનારી લોકસભા ચૂંટણીમાં અમો ભય, લાલચ, લાલસા, ભ્રષ્ટાચાર વગેરે જેવા પ્રલોભનમાં આવ્યા વિના મતદાન કરીશું.”ની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે મતદારોએ મત આપવા જવાની ઉત્સાહપૂર્વક ખાતરી આપી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.