Rajkot: રાજકોટ આલાપ ગ્રીન, મવડી વિસ્તારમાં અંબીકા ટાઉનશી૫ રહેતા લોકોને લેવડાવ્યા મતદાનના શપથ
તા.૨૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકો થકી, લોકો વડે, લોકો માટે ચાલતી લોકશાહીમાં મતદાતા મત આપી તેઓના પસંદગીના નેતાને ચૂંટી ઇચ્છુક શાસકો દ્વારા સશક્ત રાષ્ટ્ર, સમાજનું નિર્માણ કરી શકે તે માટે લોકોને મળેલો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રભવ જોશી સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને મતદાન માટે જાગૃતિ અર્થે હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ શહેરમાં આલાપ ગ્રીન સોસાયટીમાં કલેકટરશ્રીએ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને મતદાન કરવા માટે શપથ લેવડાવ્યા હતાં. જયારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે દ્વારા ૭૧ – રાજકોટ (ગ્રામ્ય) મવડી વિસ્તારમાં અંબીકા ટાઉનશી૫ સ્થિત મોદી સ્કૂલ ખાતે ગોલ ટ્રાયો એપાર્ટમેન્ટ, શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટ, કોપર એલીગન્સ,ડ્રીમસીટી, આદર્શ ડ્રીમ એપાર્ટમેન્ટ, રઘુલીલા એપાર્ટમેન્ટ, સીધ્ધી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો સાથે મતદાન જાગૃતિ અર્થે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ થનાર ચૂંટણી માં મતદાન કરવા માટે શપથ લેવડાવ્યાં હતાં.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.