DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડાના કોલીવાડાની સીમમાં જંગલનું નિકંદન વાળી દેવાયાની રાવ

દેડિયાપાડાના કોલીવાડાની સીમમાં જંગલનું નિકંદન વાળી દેવાયાની રાવ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 22/04/2025 – જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરાઈ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોલીવાડા સીમમાં આવેલા સર્વે નંબર 91 માં જેનું કુલ ક્ષેત્રફળ હેક્ટર 256 છે જેની ઉપર 40 થી 50 ઈસમો 2020-21 અને 22 થી જંગલ વિભાગના તાંબા હેઠળની જમીનમાં ગેરકાયદેસર રીતે ભેલાણ કરે છે. પાક લે છે અને મૂલ્યવાન જંગલોનું નિકંદન કાઢે છે અને તેનો પણ આર્થિક લાભ લે છે જેને પણ વન વિભાગ છાવરે છે. કર્મચારીઓ તેમની ફરજમાં નિષ્કાળથી દાખવે છે અને સરકાર માંથી આવતી ગ્રાન્ટો ક્ષેત્રફળ વાળી જમીનમાં વૃક્ષો અને અન્ય યોજનાઓમાં કામગીરી બતાવી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

એટલું જ નહીં આ પ્રશ્ન વખતો વખત જંગલ વિભાગના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ કલેકટર નર્મદા ને પણ જાણ કરવા છતાં અને ફરિયાદ પણ કરી છે છતાં પણ આ બાબતે કોઈ જ પગલાં લેવાયા નથી અને જંગલ વિભાગ જણાવે છે કે રાત્રિના સમયે કોઈ ટોળાંઓ જંગલનું ખેદાન મેદાન કરે છે અને પોતાના હાથ ખંખેરી લેછે જ્યારે આ જગ્યા ઉપર ઉભો પાક લે છે ત્યારે તેઓ શું પગલાં લીધા તે પણ એક પ્રશ્ન છે અને ખાનગી રીતે કહેવાય તો આ જંગલના અધિકારીઓ ખૂબ જ મામુલી રકમો લઈને સરકારને મસ મોટી જંગલની જમીન નું ખેડાણ કરાવે છે તેવી ફરિયાદો ઉઠી છે.

Back to top button
error: Content is protected !!