સુપ્રીમ કોર્ટે ફરી ટીવી ચેનલોના સમાચારો પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે નેશનલ બ્રોડકાસ્ટર એસોસિએશન (NBA)ને કહ્યું કે ચેનલોની સેલ્ફ રેગ્યુલેટરી વ્યવસ્થાને અસરકારક બનાવવી જરૂરી છે. જ્યારે તમે લોકોની પ્રતિષ્ઠામાં દખલ કરો છો, ત્યારે તે અપરાધ છે. કેટલાક લોકો એવા હોય છે જે સંયમનું પાલન કરતા નથી. અમે સેલ્ફ રેગ્યુલેટરી મિકેનિઝમને મજબૂત કરવા માંગીએ છીએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચેનલો પર માત્ર 1 લાખ રૂપિયાનો દંડ લગાવવો અસરકારક નથી. છેલ્લા 15 વર્ષથી 1 લાખ રૂપિયાના દંડમાં વધારો કરવા વિષે પગલા લેવાયા નથી. આ દંડ શોમાંથી થયેલા નફા પર આધારિત હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્વ-નિયમનકારી મિકેનિઝમને મજબૂત કરવા નેશનલ બ્રોડકાસ્ટર એસોસિએશન (NBA) પાસેથી સૂચનો માંગ્યા છે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે નેશનલ બ્રોડકાસ્ટર એસોસિએશન(NBA)ને કહ્યું કે તમે કહો છો કે ટીવી ચેનલો આત્મસંયમ રાખે છે. ખબર નહીં આ કોર્ટમાં કેટલા લોકો તમારી સાથે સહમત થશે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં બધા પાગલની જેમ પાછળ પડ્યા હતા કે એ હત્યા હતી.
મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે શું ચેનલો પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવવો અસરકારક છે? NBA એ છેલ્લા 15 વર્ષમાં દંડ વધારવા અંગે કેમ વિચારણા નથી કરી? આ દંડ ચેનલને શોથી મળેલા નફાના પ્રમાણમાં હોવો જોઈએ. સેલ્ફ રેગ્યુલેટરી મિકેનિઝમ હોવા બદલ અમે તમારી પ્રશંસા કરીએ છીએ, પરંતુ તે અસરકારક કામ કરે એ જરૂરી છે.