ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા નો રાજ્ય પુરસ્કાર એવૉર્ડ વિતરણ સમારોહ કલેકટરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં યોજાયો.
અહેવાલ :- પ્રતિક ભોઈ
ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા નો રાજ્ય પુરસ્કાર એવૉર્ડ વિતરણ સમારોહ કલેકટરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં યોજાયો.
નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા રાજ્ય પુરસ્કાર એવૉર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભારતવાસીઓની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ પેટ્રન અને કલેકટર શ્રી નું સ્વાગત સ્કાઉટ ગાઈડ કલર પાર્ટી દ્વારા પરેડ કરી ને કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્કાઉટ કમિશ્નર નીતિનભાઈ ગુર્જર દ્વારા વર્ષ દરમ્યાન થયેલ સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. રાયગઢ એન.જી.જોષી હાઈસ્કુલ દ્વરા સ્વાગત ગીત અને દેમતી મેરા પ્રાથમિક શાળાના સ્કાઉટ બાળકો દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. મંચસ્થ મહેમાનોનું સ્કાર્ફ વોગલ અને ફૂલછડી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લાના પેટ્રન અને કલેકટર શ્રી નારાયણ સિંઘ સાદું સાહેબ દ્વારા વર્ષ -2023-24 અને 2024-25 ના કુલ 110 બાળકો ને રાજ્ય પુરસ્કાર એવોર્ડ થી સન્માનવામાં આવ્યા હતા. સી સ્કાઉટ ગાઈડ બાળકો નું, ડાયમન્ડ જ્યુબિલી જાંબુરીના સ્કાઉટ ગાઈડ બાળકોનું, દિલ્લી મુકામે ટ્રેનિંગ લઈ આવેલ સ્કાઉટર નું, રાષ્ટ્ર્પતિ દ્વારા સન્માન થયેલ કિસ્મત બાળાનું, વિવિધ શાળામાંથી પધારેલ આચાર્યશ્રીઓનું,તેમજ તાજેતરમાં નિવૃત્ત થયેલ સ્કાઉટર મહેશભાઈ પ્રજાપતિનું સ્કાર્ફ વોગલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જૈનાચાર્ય વિદ્યાલય હિંમતનગરના સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા પ્રાથમિક સારવારનો ડેમો આપવામાં આવ્યો. જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતે ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે સ્કાઉટ ગાઈડ ની પ્રવૃત્તિ દ્વારા એક નાનું બાળક જયારે એ મોટુ થાય ત્યારે દેશ નો ઉત્તમ નાગરિક બને અને દેશ ને વફાદાર રહી સારા કર્યો કરે એવું જીવન ઘડતરકરવાનું કામ અમો કરી રહ્યા છીએ. આજે બાળક રાજ્ય પુરસ્કાર પરીક્ષા આપશે, ત્યાર બાદ ક્રમશઃ રાષ્ટ્રપતિ પુરસ્કાર પરીક્ષા પાસ કરશે. તો ભારતીય રેલવે ભરતી બોર્ડમાં રાષ્ટ્ર્પતિ પુરસ્કાર થયેલ બાળકો માટે અનામત સીટો નો કોટા હોય છે એને ભવિષ્યમાં રેલવેમાં નોકરી મળી શકે છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મીતાબેન ગઢવી એ પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ દ્વારા નાનપણ થી જ બાળકો માં જ્ઞાન વધવાની સાથે, સારા સંસ્કાર, સેવા અને દેશ ભક્તિ ની ભાવના નો વિકાસ થાય છે. તો દરેક સ્કૂલો માં આ પ્રવૃત્તિ ચાલવી જોઈએ. સમારોહ ના અધ્યક્ષ, પેટ્રન અને કલેકટર શ્રી એ તેમના વક્તવ્ય માં જણાવ્યું કે સ્કાઉટ ગાઈડ ની પ્રવૃત્તિ દ્વારા એક સમાજ સેવાનું કાર્ય થઈ રહ્યું છે નાનપણ થી જ બાળકો ને મોબાઈલના વળગણ થી દૂર રાખી સમાજ સેવા અને દેશ ભક્તિ તરફ વાળવા માટે ની આ એક ખુબ જ સારી પ્રવૃત્તિ છે. આથી આ પ્રવૃત્તિ ને આગળ વધારવી જોઈએ.અરવલ્લી ચીફ કમિશ્નરશ્રી સંગીતાબેન સોની એ આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લે રાષ્ટ્રગીત નું ગાન કરી કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો.
ગાઈડ કમિશ્નર ભારતીબેન ચૌધરી અને ટ્રેનિંગ ગાઈડ કમિશ્નર વૈશાલીબેન પટેલ એનાઉન્સર તરીકે તેમજ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રેન્જર કમિશ્નર સોનલબેન ડામોર, મદદનીશ ગાઈડ કમિશ્નર નિપૂર્ણાબેન શાહ, ટ્રેનિંગ સ્કાઉટ કમિશ્નર વિષ્ણુભાઈ સોલંકી એ કર્યું હતું. સમારોહ ના મંચસ્થ મહેમાનો માં અતિથિ વિશેષ એન. જી. પ્રોજેક્ટ ના ડાયરેક્ટર શ્રી ગોપાલસિંહજી રાઠોડ નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી અલકાબેન, નગરપાલિકા ના ઉપ પ્રમુખ સવજીભાઈ ભાટી, ઉપ પ્રમુખ નિમેષભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ રાવલ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમમાં જિલ્લા સંઘ ના હોદ્દેદારો સહ મન્ત્રી કલ્પનાબેન, મદદનીશ સ્કાઉટ કમિશ્નર શૈલેષભાઇ પટેલ, મદદનીશ ટ્રેનિંગ સ્કાઉટ કમિશ્નર મહેશભાઈ પ્રજાપતિ, મદદનીશ ટ્રેનિંગ ગાઈડ કમિશ્નર જ્યોત્સનાબેન, ઓર્ગેનાઈઝર સ્કાઉટ કમિશ્નર ફરીદભાઈ મન્સૂરી, મદદનીશ ઓર્ગેનાઈઝર સ્કાઉટ કમિશ્નર બિપીનભાઈ તબિયાડ, ઓર્ગેનાઈઝર ગાઈડ કમિશ્નર અલકાબેન પટેલ , મદદનીશ ઓર્ગેનાઈઝર ગાઈડ કમિશ્નર નીલમબેન, રાજ્યપ્રતિનિધિ ગાઈડ કૈલાશબેન બરંડા , બીજલબેન સુથાર, દક્ષાબેન જોષી, કૈલાસબેન નિનામા મહોબતસિંહ સ્કાઉટર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત
આ પ્રસંગે સ્કાઉટ ગાઈડ બાળકો તેમના વાલીશ્રીઓ, આચાર્ય શ્રી ઓ, શિક્ષક શ્રી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. ટાઉન હોલ બહોળી સંખ્યાથી ભરાઈ ગયો હતો.