HIMATNAGARKHEDBRAHMASABARKANTHA

*જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો.*

અહેવાલ :- પ્રતિક ભોઈ

*જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો.*
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે છેલ્લા 33 વર્ષથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી યોગીનીબેન ભટ્ટ અને ભવાનસિંહજી વાઘેલા નો શુભેચ્છા સન્માન કાર્યક્રમ શ્રી જેઠાભાઈ કે પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો.
બંને ગુરુજીઓનું શ્રીફળ સાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી દેવી એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી રાજાભાઈ પટેલ અને જ્ઞાનવિહાર એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલ તથા સમગ્ર કારોબારી સભ્યો અને શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલા તથા આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ચાર તાલુકા સમાજ પ્રમુખશ્રી ખીમજીભાઇ પટેલ, કન્યા વિદ્યાલયના પ્રમુખશ્રી મણીભાઈ પટેલ, ખેડબ્રહ્મા સમાજ પ્રમુખશ્રી રવજીભાઈ પટેલની હાજરી નોંધનીય હતી. વિદાયમાં થનાર ગુરુજીઓ યોગીની બહેન ભટ્ટ અને ભવાનસિંહજી વાઘેલાએ શાળાના જુના સંસ્મરણો યાદ કરી અને ભાવુક થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વડા શ્રી ધીરુભાઈ પરમારે કર્યું હતું. કાર્યક્રમને અંત સાયન્સ વિભાગના શ્રી જીતુભાઈ પટેલ દ્વારા સૌને ભોજન આપવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!