તા.૦૩.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વન નેશન વન ઇલેક્શન પર યોજાયો સેમિનાર
દાહોદની સરકારી એન્જિનિયરિંગ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા વન નેશન વન ઇલેક્શન પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર જી.એ.રાઠવા આ સેમીનારના વક્તા હતા. તેઓએ વન નેશન, વન ઇલેક્શન પર કહ્યું કે , ભારત સરકાર દ્વારા ચૂંટણી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે એક જ સાથે ચોક્કસ સમયમર્યાદાની અંદર તમામ ચૂંટણીઓ કરવા માટે વિચારણા હેઠળનો પ્રસ્તાવ છે. તેની સૌથી નોંધપાત્ર દરખાસ્તોમાંની એક એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની છે . તેમણે એક વખતની ચૂંટણીના ફાયદા અને પડકારોનું વિસ્તૃત વર્ણન કર્યું હતું, આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.