દુદાસણ ખાતે શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતાજીનો ૨૮ મો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..
દુદાસણ ખાતે શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતાજીનો ૨૮ મો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..
દુદાસણ ખાતે શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતાજીનો ૨૮ મો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..
કાંકરેજ તાલુકાના દુદાસણ ખાતે કંબોયા પરિવાર પ્રજાપતિ સમાજ ના દુદાસણ અને ધાયણોજ ખાતે વસતા પરિવાર દ્વારા શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતાજીમો ૨૮ મો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરાઈ.૨૮ માં પાટોત્સવ નિમિત્તે આજરોજ સંવત ૨૦૮૧ ના વૈશાખવદ- ૧૦,૧૧,૧૨ને બુધ, ગુરૂ,શુક્ર તા.૦૭,૦૮,૦૯/૦૫/ ૨૦૨૫ એમ ત્રિ-દિવસીય ૨૮ મો મહોત્સવ યોજાયો હતો.ત્રિ-દિવસીય માહિત્સવમાં યજ્ઞના આચાર્ય શાસ્ત્રીજી ગોરધનભાઈ જોષી હારીજના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞના મુખ્ય યજમાન સ્વ. હેમાભાઈ કાનાભાઈ પ્રજાપતિ પરિવાર ધાયણોજ,સ્વ. અજમલભાઈ કહળાભાઈ પ્રજાપતિ પરિવાર દુદાસણ ના યજમાનપદે સંતશ્રી સોહમરામ બાપુ ગુરૂશ્રી અરજણદાસ સાહેબ સંતશ્રી સોહમ આશ્રમ રાજપુરની પાવન નિશ્રામાં ભુવાજી ભરતભાઈ પ્રજાપતિ દુદાસણ, ભુવાજી અમરતભાઈ પ્રજાપતિ પાટણ,બારોટ દિનેશભાઈ સરદારજી ની ઉપસ્થિતિમા યજ્ઞ યોજાયો હતો.શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,મંત્રી વાલાભાઈ પ્રજાપતિ,શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજનામંત્રી વીરચંદભાઈ પ્રજાપતિ ભીલડી, ઈન્દ્રમાણા સરપંચપતિ રમેશભાઈ પ્રજાપતિ,કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વમહામંત્રી કિશોરભાઈ પ્રજાપતિ,થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,થરા શહેર ભાજપ મંત્રી રમેશભાઈ પ્રજાપતિ, અમરતભાઈ પ્રજાપતિ નવા, નિવૃત આચાર્ય શીવાભાઈ પ્રજાપતિ દીઓદર,નિવૃત ફોજી જયંતીભાઈ પ્રજાપતિ ફોરણા સહીત પધારણા દરેક મહેમાનોને શાલ ઓઢાડી મહાદેવભાઈ પ્રજાપતિ, શ્રવણભાઈ પ્રજાપતિ, બાળ સમાજ કલ્યાણ સુરક્ષા અધિકારી તુષારભાઈ પ્રજાપતિ, ઈશ્વરભાઈ પ્રજાપતિ સહીત કંબોયા પરિવારે સન્માન કર્યું હતું. ત્યારે શિક્ષક દિનેશભાઈ પ્રજાપતિ,શિક્ષક પ્રવીણભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ થરા શ્રી બાર પરગણા પ્રજાપતિ સમાજ માંથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530