GUJARATMEGHRAJ

શ્રી રામજી મંદિર શ્રી રાધાકૃષ્ણ મંદિર તેમજ શ્રી જલારામ બાપાના નવીન મંદિરમાં મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શ્રી રામજી મંદિર શ્રી રાધાકૃષ્ણ મંદિર તેમજ શ્રી જલારામ બાપાના નવીન મંદિરમાં મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

નવાગામ ખાતે આવેલ કંટાળું હનુમાનજી મંદિર આવેલ છે જે પ્રાચીન મંદિર ગણવામાં આવે છે વડીલના જણાવ્યા આજથી 40 વર્ષ પહેલા કંટાળું હનુમાનજી મંદિર ખાતે રામમંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જે આજે પૂર્ણ થયો હતો ખાસ કરીને નદી કિનારે આવેલ હનુમાનજી મંદિર, રામદેવપીર મંદિર અને એમાં પણ સ્મશાન વિસ્તારમાં ત્રિવેણી સંગમ વચ્ચે ફરીથી હનુમાનજી મંદિરના પરિસરમાં નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં રામપરિવાર, રાધાકૃષ્ણ, જલારામબાપા, ગણેશજી, અને હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સવંત 2081 ચૈત્ર વદ સાતમને રવિવારના રોજ કરવામાં આવ્યો હતો સોમવારના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શ્રી રામ સેવા સમિતિ હનુમાનજી મંદિર શ્રી કંટાળુ હનુમાનજી મંદિર પરિસર નવાગામ દ્વારા નિમંત્રણ પાઠવ્યું હતું પૂર્ણાહુતિ ના દિવસે આજુબાજુના ગામડાના લોકો દર્શન માટે પધાર્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી

Back to top button
error: Content is protected !!