GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: દિવેલાના ઊભા પાકમાં પાન ખાનાર ઈયળ/ કાતરા(હેરી કેટરપિલર)ના સંકલિત વ્યવસ્થાપન માટેના લેવાના પગલાં

તા.૩/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ પાકમાં વારંવાર રોગો અને જીવાતો જોવા મળતી હોય છે. જે પૈકી દિવેલાના ઉભા પાકમાં પાન ખાનાર ઈયળ/કાતરા(હેરી કેટરપિલર)ના નિયંત્રણ માટે ખેડૂતોએ નીચેના પગલાં લેવા જણાવાયું છે.

જેમાં ખેતરની આજુબાજુ શેઢા પાળા સ્વચ્છ રાખવા જીવાતનાં ફૂદાં આકર્ષી નાશ કરવા પ્રકાશપિંજર/ હેક્ટર રાત્રિ સમયે ગોઠવવી. પાન ખાનાર ઇયળની નર ફૂદીઓને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપ ૮ થી ૧૦ પ્રતિ હેક્ટરે ગોઠવવા અને ઇયળ અને કાતરાના ઇંડાના સમુહ તેમજ પ્રથમ અવસ્થાની ઇયળો પાન સાથે વીણી નાશ કરવો. એન.પી.વી. વાયરસગ્રસ્ત ૨૫૦ ઇયળ એકમ દ્રાવણ પ્રતિ ૭૦૦ લીટર પાણીમાં હેક્ટર વિસ્તારમાં છાંટવાથી પાન ખાનાર ઇયળોમાં રોગ લાગુ પડતા નિયંત્રણ મેળવી શકાય છે.

પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ વધુ જણાય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મી.લી. અથવા એમામેકટીન બેંઝોએટ ૫ એસ.જી. ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મી.લી. અથવા ફલ્યુબેન્ડાલમાઇડ ૩૯.૩૫ ટકા ૨ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસનાં અંતરે જરૂરીયાત મુજબ છંટકાવ કરવો જોઈએ. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે ને ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી સંબધિત વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!