સુરેન્દ્રનગર સાબર ક્રાઇમ પોલીસે અરજદારોના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
કુલ મોબાઇલ નંગ ૧૦ જેની કિ.રૂ.2,80,800 ના રીકવર કરી નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવ્યાં હતાં.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કુલ મોબાઇલ નંગ ૧૦ જેની કિ.રૂ.2,80,800 ના રીકવર કરી નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવ્યાં હતાં, ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક, અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે સુરેન્દ્રનગર જીલ્લામાં વધુમા વધુ ઉપયોગ કરવા સુચના થઇ આવેલ હોય અને આ બાબતે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી વી. બી. જાડેજા સુરેન્દ્રનગર વિભાગ નાઓની જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ હોય અને પીઆઇ એ.જે.સોલકી તથા પીએસઆઇ વી.આઈ.ખડીયા તથા કીશનભાઈ, પરેશભાઈ સાકરીયા સહિત સમગ્ર ટીમના ઓના માર્ગદર્શન હેઠળ ગુમ/ખોવાયેલ/ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડ્યુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરી કરાવી અલગ અલગ કંપનીના અલગ અલગ કિંમતના કુલ મોબાઇલ નંગ ૧૦ જેની આશરે કિ.રૂ.૨,૮૦,૮૦૦ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવેલ છે.