BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ટોલ પ્લાઝા પર ભૂમાફિયાઓનો આતંક, CCTV:અંકલેશ્વર NH-48 પર 20 દિવસમાં બેરીયર તોડીને 4 ટ્રક ભાગ્યા; મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મુક્યો

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર આવેલા મૂલદ ટોલ પ્લાઝા પર ભૂમાફિયાઓની દાદાગીરી વધી રહી છે. છેલ્લા 20 દિવસમાં ટોલપ્લાઝાના બેરીયર તોડીને ભાગી જવાના 4 બનાવ નોંધાયા છે.
તાજેતરની ઘટનામાં ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે વાહન હંકારીને મહિલા કર્મચારીને જોખમમાં મૂકી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રક ચાલકો સામે સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં ખનીજ માફિયાઓ કાયદાનો ભંગ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. આ ઘટનાઓએ ટોલ પ્લાઝા પરની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

Back to top button
error: Content is protected !!