BANASKANTHAGUJARATPALANPUR

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે થેલેસેમીયા સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું

10 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે થેલેસેમીયા સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું વિવિધ વિભાગના કુલ ૩૫૦ થી વધારે વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ તથા માર્ગદર્શન અપાયું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. આર.એમ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી ખાતે થેલેસેમીયા સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા રાષ્ટ્રિય સેવા યોજના અંતર્ગત ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં સરદાર કૃષિ યુનિવર્સિટી મહાવિદ્યાલય અને પોલીટેકનીકના પ્રથમ સત્રના તમામ વિદ્યાર્થીઓ તથા અગાઉના વર્ષમા થેલેસેમીયા સ્ક્રિનિંગથી વંચિત રહેલા વિદ્યાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પનું આયોજન વીર સાવરકર હોલ, યુનિવર્સિટી ભવન ખાતે કરાયું હતું. સદર પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા આસ્પી પોષણ અને સમુદાય વિજ્ઞાન મહાવિદ્યાલયના આચાર્યશ્રી, ડૉ. એસ. આર. વ્યાસ અને ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્યશ્રી, ડૉ. જે. જે. ધડુક ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પ થકી વિદ્યાર્થીઓને થેલેસેમિયા, સિકલ સેલ શું છે?, થેલેસેમિયા મેજર કે થેલેસેમિયા માઇનોર આવે તો શું કાળજી રાખવી જોઈએ તેના અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ અને ત્યાર બાદ ટેસ્ટીંગ માટેના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કુલ ૩૫૦ થી વધારે વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરાયું હતું. સદર થેલેસેમીયા સ્ક્રિનિંગ કેમ્પને સફળ બનાવવા માટે નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે.પી.ઠાકર અને ખેતીવાડી અધિકારી, ડૉ. રાકેશકુમાર પટેલ અને તેમની સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!