ખેડબ્રહ્મા:સંત શિરોમણી ગુરુ રોહીદાસ ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી.
મહાન કવિ અને સમાજ સુધારક સંત શિરોમણી સતગુરુ રોહીદાસજી મહારાજની 647 મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ વાસીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી .
સંત શિરોમણી રોહીદાસ જીનો જન્મ:ઈ.સ.૧૪૩૩ વારાણસી, ઉત્તરપ્રદેશ માં થયો હતો
માનવતાના પથદર્શક, મહાન સમાજ સુધારક,તેવા પરમજ્ઞાની સંત શિરોમણી ગુરુ રોહીદાસજી એ સંતો થી ભરેલા આકાશમાં સંતો માના હજારો તારાઓ ઝગમગી રહ્યા છે તેમાં સૌથી ચમકતો સવૅ શ્રેષ્ઠ ધ્રુવ નો તારો એ સંત શિરોમણી ગુરુ રોહીદાસજી છે
જેમણે સમાજના લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરી ધન્ય બનાવ્યું હતું
આવા સંત શિરોમણી ગુરુ રોહીદાસજી મહારાજની જન્મતિથિ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઊજવણી કરવામાં આવી હતી્
ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી ધીરુભાઈ પરમાર તથા ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ રોહિત ભાઈ પરમાર તથા સમાજ ના શ્રેષ્ઠીઓ તેમજ
ખેડબ્રહ્મા તાલુકાના ગુરુ રોહીદાસ ના અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ.. કિરણ ડાભી..ખેડબ્રહ્મા