BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
જમ્મુ-કાશ્મીર હુમલાનો વિરોધ:અંકલેશ્વરના મુસ્લિમ સમાજે કેન્ડલમાર્ચ યોજી, આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ
સમીર પટેલ, ભરૂચ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં અંકલેશ્વરના મુસ્લિમ સમાજે કેન્ડલમાર્ચનું આયોજન કર્યું હતું. આ હુમલામાં 27 પર્યટકોના મોત થયા હતા.
મુસ્લિમ સમાજના સભ્યો અને આગેવાનોએ કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ ઘટનાએ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે. મુસ્લિમ સમાજે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ સામે સરકાર કડક પગલાં લે તેવી માગ કરી છે.