લોકો ધર્મના નામે લોકોને મારી નાંખે તેવો સૌથી મોટા ગુનેગાર,ઈસ્લામમાં આતંકવાદીઓ માટે કોઈ સ્થાન નથી.મોલાના સીબતૈનરઝા અશરફી
તારીખ ૨૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદના ઇમામ મોલાના સીબતૈનરઝા અશરફી એ મુસ્લિમ બિરાદરો ના અતી મહત્ત્વનો પવિત્ર વાર શુક્રવાર જે જુમ્મા નાં નામથી ઓળખાય છે જે ફર્ઝ નમાઝ પહેલા પોતાની ખીતાબત દરમિયાનના હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નેં સંબોધન કરતા પોતાના વક્તવ્યમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને તેમણે કહ્યું કે,હત્યા કરવી એ માનવતા માટે શરમજનક ઘટના છે. હું અલ્લાહને એવા આતંકવાદીઓ પર પ્રકોપ મોકલવા બદદુઆ કરું છું અને નિર્દોષ પ્રવાસીઓને મારી નાંખલ જે ખરાબથી ખરાબ કૃત્ય છે. અને હું હિન્દુસ્તાની સરકાર ને અપીલ કરું છું કે, તેઓ તેમને ફાંસી પર લટકાવી અને તેમની જ ભાષામાં જવાબ આપે.ઈસ્લામમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી.મોલાના સીબતૈનરઝા એ કહ્યું કે આ હુમલો ભારત ની શાંતિ અને ભારત ની પ્રગતિને રોકવાનું કાવતરું છે. ઇસ્લામ ધર્મ આવા કૃત્યોની મંજૂરી આપતો નથી અને ઇસ્લામમાં આ પ્રકારના આતંકવાદ માટે કોઈ સ્થાન નથી જ્યાં ઇસ્લામ ધર્મમાં નિર્દોષ લોકોની હત્યાને બિલકુલ મંજૂરી આપતો નથી. તેમણે પેગંબર સાહેબ ના બતાવેલ માનવતાના માર્ગ પર ચાલવા કહ્યું અને જે લોકો ધર્મના નામે લોકોને મારી નાંખે છે તેઓ સૌથી મોટા ગુનેગાર છે અને આવા લોકોનું ઇસ્લામ ધર્મમાં કોઈ સ્થાન નથી જે નિર્દોષ લોકોની હત્યા કરીને માનવતાનો નાશ કરવાનું કાવતરું ઘડનારા આતંકવાદી વિરોધી કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો અંતે સીબતૈનરઝા અશરફી દ્વારા મંગળવારે કાશ્મીરના પહેલગામ ના એક પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં નિર્દોષ લોકો માર્યા ગયા તેવો ને અદહલ ઇન્સાફ મળે તેવી ગુજારીશ કરી અને દુઃખદાયી ઘટના માટે સંવેદનના વ્યક્ત કરી હિન્દુસ્તાનમાં કાયમ અમન-શાંતિ સૂકૂન સાથે ભાઈચારો બની રહે તેવી દુવા માંગવામાં આવી હતી.