સાબરકાંઠા જિલ્લામાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
**
સાબરકાંઠા જીલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે ઈડર, પોશીના અને વિજયનગર એમ ત્રણ તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ સાથે કપાસ સંશોધન કેન્દ્ર તલોદ ખાતે પ્રાંતિજ તાલુકાના ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારશ્રી દ્વારા શરુ વર્ષે અમલમાં આવેલી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પધ્ધતિઓ અને લાભો વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું .વધુમાં પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત,ઘનજીવામૃત,બીજામૃત તેમજ પાક સંરક્ષણથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા.
આ તાલીમમાં અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રી તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા