GUJARATMEHSANAVIJAPUR

બેચરાજી ખાતે “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો

બેચરાજી ખાતે “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ” યયોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને ક્લેક્ટરશ્રી એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ બેચરાજી ખાતે “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. લોકસભા ચૂંટણી-૨૦૨૪ માં મહેસાણા જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા વહિવટી અને ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં ટ્રાન્સજેન્ડર સમુદાયની ચૂંટણી માં સહભાગીતા વધે તથા મતદાન પ્રક્રિયાથી તેઓ માહિતગાર થાય તે આશયથી બેચરાજી ખાતે “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં “ટ્રાન્સજેન્ડર” મતદારોને મતદાન પ્રક્રિયા અંગે સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તા.૦૫/૦૧/૨૪ મતદાતા ગણતરી પ્રમાણે મહેસાણા જિલ્લામાં જેન્ડર પ્રમાણે ૪૯ ટ્રાન્સજેન્ડર થર્ડ જેન્ડર તરીકે નોંધાયા છે. જે મુજબ ૨૦-ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાં એક, ૨૧- ઊંઝા વિધાનસભા મતવિસ્તારમાં ૦૫, ૨૨ -વિસનગર વિધાનસભા મતવિસ્તારમાં ખાતે ત્રણ, ૨૩ -બેચરાજી વિધાનસભા મતવિસ્તારમાં ૨૧ તેમજ ૨૪- કડી વિધાનસભા મતવિસ્તારમાં ત્રણ , ૨૫- મહેસાણા વિધાનસભા મતવિસ્તારમાં ચાર તેમજ ૨૬- વિજાપુર વિધાનસભા મતવિસ્તારમાં ૧૨ થઈ ૪૯ થર્ડ જેન્ડર મતદાતાઓ નોંધાયેલ છે…..
રૂપાદે લક્ષ્મીદે પાવૈયા (નામ બદલેલ છે) જણાવે છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયામાં થર્ડ જેન્ડર તરીકે અમને માન્યતા મળી છે એને તો આનંદ હોય જ પણ અમારા મતની જેમ અમારું પણ મૂલ્ય છે એમ આ મતદાન પ્રવૃત્તિમાં અમને સહભાગી બનાવવાથી અમે અનુભવીએ છીએ…. સાચે જ અમને લાગી રહ્યું છે કે લોકશાહીનો અવસર એ અમારો પોતાનો અવસર છે. તાલુકા વિકાસ અધિકારીશ્રી તેજલબેન વાઘેલા જણાવે છે એ મુજબ મતદાન જાગૃતિ પ્રવૃત્તિ અંતર્ગત અમે બેચરાજી મંદિર ખાતે થર્ડ જેન્ડરના સાથે તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં થર્ડ ટ્રાન્સજેન્ડરના મતનું મૂલ્ય પણ દરેક મતદાતા જેટલું મૂલ્યવાન છે એ વાત મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આ લોકો સમજ્યા છે તેમજ આ સૌએ સાથે મળીને તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં અચૂક મતદાન કરીશું એમ પણ જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને ક્લેક્ટરશ્રી એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ લોકશાહીને વધુ સશક્ત બનાવવાના જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં આ લોકો પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં પણ ટ્રાન્સજેન્ડરના મતદાતાઓ પોતાનો કિંમતી મત આપશે તેમ સૌએ જણાવ્યું હતુ . આ કાર્યક્રમમાં ટ્રાન્સજેન્ડર મતદારોએ આ વખતની યોજાનાર ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!