આણંદમાં ફાયર NOC વગર ફટાકડાની બે દુકાનો સીલ પોલીસ ફરિયાદ નોંધાઈ
આણંદમાં ફાયર NOC વગર ફટાકડાની બે દુકાનો સીલ
પોલીસ ફરિયાદ નોંધાઈ
તાહિર મેમણ – આણંદ – 23/04/2025 – આણંદમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન કરીને ફટાકડાનો મોટો જથ્થો રાખવાના કેસમાં બે દુકાનો સીલ કરવામાં આવી છે. આણંદ શહેર મામલતદાર ચાર્મી એ. રાવલની ટીમે કરેલી તપાસણીમાં સરદાર ગંજ વિસ્તારમાં આવેલ યશ સીઝનેબલ સ્ટોર્સ અને સી.પી કોલેજ પાસે આવેલ વિનાયક જનરલ સ્ટોરમાં ફાયર NOC વગર મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
બંને દુકાનો માત્ર દિવાળી 2024 માટે હંગામી પરવાનો ધરાવે છે. જો કે, ફાયર NOC અને અન્ય જરૂરી પરવાનગીઓ ન હોવાથી તેમને સીલ કરવામાં આવી છે. ઈ.મામલતદાર એ.જે.પટેલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે યશ સીઝનેબલ સ્ટોર્સના માલિક યશ અશોકકુમાર આલયાણી અને વિનાયક જનરલ સ્ટોરના માલિક જયેશભાઈ પ્રજાપતિ સામે કેસ નોંધ્યો છે. તેમની વિરુદ્ધ BNS એક્ટની કલમ 287, 288 અને વિસ્ફોટક અધિનિયમની કલમ 9(B)(1)(a), 9(B)(1)(b) હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.