GUJARATRAJKOTUPLETA

Upleta: ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામે “સેવા સેતુ” કાર્યક્રમમાં ૯૬૦ જેટલા લાભાર્થીઓને પ્રશ્નનો હકારાત્મક નિકાલ

તા.૧૦/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામે યોજાયેલા નવમા તબક્કાનાં “સેવા સેતુ” કાર્યક્રમ અન્વયે ૯૬૦ જેટલા લાભાર્થીઓના પ્રશ્નનો હકારાત્મક નિકાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.

નાગરિકોનાં વ્યક્તિગત પ્રશ્નો અને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને ઘર આંગણે મળી રહે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ ઉપલેટા તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શાળા – સમઢીયાળા ખાતે યોજાયો હતો, જેનો લાભ આસપાસના ૨૪ જેટલાં ગામડાઓના લાભાર્થીઓને અપાયો હતો. સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગો જેવા કે આધારકાર્ડને સંલગ્ન સેવાઓ, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું/કમી કરવું/સુધારવું, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને લગત લાભો, આઘારકાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ/મો.નં. લીંક/નવું બેંક ખાતુ ખોલાવવું/જનઘન યોજના બેંક ખાતું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, ૭/૧૨, ૮-અના પ્રમાણપત્રો, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, વૃદ્ધ નિરાધાર સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, બસ કન્સેશન પાસ- વિકલાંગ માટે, વિધવા સહાય, પશુપાલન વિભાગને લગતી સેવાઓ સહિત વિવિધ ૫૬ યોજનાકીય સેવાઓનો લાભ આ કાર્યક્રમમાં નાગરિકોને મળ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપલેટા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, આગેવાનો, વિવિધ ગામના સરપંચશ્રીઓ, અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે ઉપલેટા મામલતદારશ્રી એમ. ટી. ધનવાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ. એમ. ભાસ્કર તથા ઉપલેટા વિસ્તારની વિવિધ કચેરીનાં અધિકારીશ્રીઓ તેમના પ્રતિનિધિઓ સાથે હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!