MULISURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોનાં નામે ટી.સી. અન્યને વેચી દેતાં વિજકર્મી

તા.10/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિજ કંપનીનાં કાર્યપાલક ઇજનેરને રજુઆત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિજ ટ્રાન્સફર ખેડૂતોનાં નામે ઉધારી ખોટી સહીઓ કરી ખનીજચોરી માટે ઉપયોગમાં લેવામાં આવતાં હોય છે અને તેમાં વિજ કંપની નાં કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે ત્યારે આજે રાજુભાઈ કરપડા અને ખેડૂતો દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે સરકારી જમીન ઉપર ગૌચર જમીન ખરાબાની જમીન ઉપર ગેરકાનૂની કનેકશન આપી ખનીજ માફીયાઓ દ્વારા બેફામ વિજ ચોરી કરવામાં આવે છે અને રેતી વોસ પ્લાન્ટ પણ આવા ખોટા ખેડૂતોનાં નામે ટી.સી. મેળવી વિજ ચોરી કરી રહ્યા છે ત્યારે વડોદરા વિજ કંપનીની ટીમ દ્વારા ચેકીંગ થતાં ઘટસ્ફોટ થયો હતો આ તમામ ટી.સી. ખેડૂતોનાં નામે ખોટી સહીઓ કરી આપવામાં આવેલ હતાં ત્યારે આ બાબતે ખેડૂતો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખેડૂતોએ કોઈ કનેક્શન કે વિજ જોડાણ માટે માગણી કરી નથી તેમ છતાં ખેડૂતોનાં નામે ખનીજ માફીયાઓને આ ટી.સી. ફાળવવામાં આવેલ સાથે આક્ષેપ કર્યો હતો કે વિજ કંપનીનાં અધિકારીઓ દ્વારા પાંચ લાખ રૂપિયાનો વહીવટ કરી ખોટા ખેડૂતો ઉભા કરી ખોટી સહીઓ કરી આખું સુવ્યવસ્થિત આયોજન પૂર્વક આ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતોને સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવે તેમ જણાવ્યું હતું હાલ તમામ ખનીજ ખનન વહનમાં મોટાપ્રમાણમાં આવાં ટી.સી. દ્વારા વિજચોરી બહાર આવી છે અને કંપની દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી છે તેમ રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!