GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા અલગ અલગ સંસ્થાઓમાં અને સ્થળો ઉપર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની જુદી જુદી સંસ્થાઓમાં જેવી કે મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ વાડલા ફાટક રાષ્ટ્રીય અંધજન મંડળ વાડલા ફાટક પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય જુનાગઢ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જુનાગઢ ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપસ્થિત રહેલ દિવ્યાંગોને તેમજ રેલ્વે સ્ટેશન જુનાગઢ ખાતે ટ્રાન્સ જેન્ડર ને એકત્ર કરી અને તેઓને evm મતદાન વિશે માહિતી આપવામાં આવી. શ્રી બ્રહ્માનંદ પ્રજ્ઞાચક્ષુ વિદ્યામંદિર ચાપરડા વિસાવદર ખાતે વૃદ્ધો અને પ્રજ્ઞાચશ્રુ તેમજ દિવ્યાંગો ને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ વૃદ્ધ નિકેતન સંસ્થા નરસિંહ મહેતા ના ચોરા પાસે વૃદ્ધો અને વરિષ્ઠ લોકોને જિલ્લા સમાજ સુરક્ષા ની કચેરીના કર્મચારી સંજયભાઈ મેઘનાથી તેમજ મયંકભાઇ લાડાણી અને મામલતદાર કચેરી જુનાગઢના જવાબદાર અધિકારીને સ્ટાફ દ્વારા આ તમામ સંસ્થાઓમાં દિવ્યાંગ મતદારોને ઇવીએમ અને વીવીપીએટી નું નિદર્શન કરવામાં આવ્યું. આ તકે તમામ દિવ્યાંગોને ફરજિયાત મતદાન કરવા માટે માર્ગદર્શન પુરુપાડવામાં આવેલ તેમ જ કેવી રીતે મતદાન કરવું અને મતદાન ઇવીએમ નો ઉપયોગ કેવી રીતે કરવો તેનું સચોટ માર્ગદર્શન અને સેમિનાર યોજવામાં આવ્યાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!