ભરૂચ: સરફુદીન ગામે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો બાબતે કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી
ભરૂચ કલેકટરને પાઠવાયુ આવેદનપત્ર, સરફુદીન ગામના ગ્રામજનોએ કરી રજુઆત, પડતર પ્રશ્નો બાબતે રજુઆત કરાય? ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોને જમીન ફાળવવા માંગ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
અંકલેશ્વરના જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્ય અનુસાર ભાડભુત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં દુબાણમાં જતા જુના સરફુદ્દીનની ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમા આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મેહસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા ૩૯ મકાનોનું જાહેરનામું આપ્યુ છે તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છેઆ આ ઉપરાંત જુના ગામમા ગૌચરણ છે એટલું ગૌ ચરણ નવી વસાહતમા ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી છે.




