GUJARAT

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના 9 પીએસસી કેન્દ્ર ખાતે અને 1 અર્બન હેલ્થ સેન્ટર અને 47 આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતેથી મેલેરિયા રોગની જનજાગૃતિ ને લઈ રેલી લઘુ શિબિર ,ફોકલ ગ્રુપ ડિસ્કસ પોરા ગપ્પી ફિશ નિદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં મેલેરીયા થી બચવા ના ઉપાયો સહિત નુ અર્બન હેલ્થ અધિકારી ડો ચેતન ભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ ચૌહાણ દ્વારા આપવા મા આવ્યું હતુ. આશ નર્સિંગ કોલેજ ના સ્ટુડન્ટ દ્વારા મેલેરિયા જન જાગૃતિ રેલી કાઢી જે નગરપાલિકા અને તાલુકા પંચાયત ખાતે ખત્રીકૂવા સહિત ના વિસ્તારો મા ફરી હતી. સાથો સાથ પ્લે કાર્ડ અને પત્રિકા ઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ મા આરોગ્ય નો સ્ટાફ અને કર્મચારી ગણ જોડાયો હતો.

Back to top button
error: Content is protected !!