
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૮ ફેબ્રુઆરી : માંડવી તાલુકાના બિદડા મધ્યે મહેશ્વરી સમાજના બારમતીપંથનાં આદ્યસ્થાપક ઇષ્ટદેવ પરંમ પૂજ્યશ્રી ધણીમાતંગ દેવ ની 1272મી જન્મ જયંતીનાં પાવન અવસર નિમિત્તે બિદડા મધ્યે વાજતે ગાજતે ધામ ધુમ થી શોભા યાત્રા નિકળી હતી આ શોભાયાત્રામાં દાદા ધણીમાતંગ દેવના આરાધ્ય ગીતો વગાડી ધણીમાતંગ દેવની આરાધના કરવામા આવી હતી સાથે નાના બાળકો અને નાની બાળાઓ સાથે યુવાઓ દાદા ના ગીત સાથે ઝુમી ઉઠીયા હતાં.વ્રત ધારી લક્ષ્મણ પાયણ(મુખી), નરેશ ધેડા, અરવિંદ માતંગ,હરેશ ફુલીયા,મૈસર ભાવેશ માતંગ, પથારી ધર્મ ગુરુશ્રી કલ્પેશ માતંગ, પંકજ ગરવા, દ્વારા તા-૧૫-૨-૨૫.ના રાત્રી ના દાદા નુ જ્ઞાનકંથન કરવામાં આવ્યું હતું.અને તમામ માઘ સ્નાન વ્રત ધારીઓ અને સેવા ધારીઓ અને ધર્મગુરુશ્રી ઓનુ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા મફ્તનગર ચામુંડા માતાજીના મંદિર થી ડૉ આંબેડકર,બિદડા ગામના મેન બજાર થી દખણા ફળીયાથી મેન બજાર માથી હોસલા પુર્વક વાજતે ગાજતે ભવ્ય શોભા યાત્રા નિકળી હતી.આ શોભા યાત્રા મા બિદડા ગામના આગેવાન પ્રવિણભાઇ પટેલ, અને જીતેન્દ્રગીરી ગોસ્વામી વતીથી માઘ સ્નાન વ્રત ધારીઓ અને ધર્મગુરુશ્રી ઓનુ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.અને બિદડા ગામના પોલીસ જમાદાર પ્રવિણભાઇ પરમાર શ્રી નુ સમાજ વતીથી સન્માન કરવામાં આવ્યું હતું, અને બિદડા ગામના પુર્વ સરપંચ અને માંડવી તાલુકાના બીજેપી નાં પુર્વ પ્રમુખશ્રી સુરેશભાઈ સંઘાર,જેન્તીભાઇ સંઘાર,ભાવેશભાઈ સંઘાર,એ અચુક હાજરી આપી ને આ શોભા યાત્રામાં જોડાયા હતા, અને સુરેશભાઈ સંઘાર વતીથી માઘ સ્નાન વ્રત ધારીઓ અને ધર્મ ગુરુશ્રીઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું,દાદાની ૧૨૭૨મી જન્મ જયંતી નિમિત્તે આ શોભા યાત્રામાં તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, બિદડા બને મહેશ્વરી સમાજના પ્રમુખશ્રી રવજીભાઈ વિઝોડા, જેન્તીભાઇ ડોરૂ, માંડવી તાલુકા મહેશ્વરી સમાજના મહા મંત્રીશ્રી ભાવેશભાઈ બુચીયા,સામાજિક આગેવાન સામજીભાઈ વિઝોડા,ચાપશી માતંગ, ભાણજી ધેડા,સામજી ગરવા,સુમારભાઈ ધેડા,પપુ ધેડા,હરીભાઈ ધેડા, રમેશ ધેડા,તાલુકા પંચાયત પુર્વ સદસ્ય ચાંપશીભાઈ ધેડા,બિદડા ગામના ન્યાય સમિતિ ચેરમેન રસિલાબેન દનીચા,સામજી દનીચા, દિનેશ ફુલીયા, નિતીન નંજણ,ધનજીભાઈ વિઝોડા,કરશન વિઝોડા, રમેશ પાયણ, અરવિંદ વિઝોડા,હરજી વિઝોડા, અશ્વિન એડવોકેટ, વાલજીભાઈ સીચણીયા,બિદડા સત કર્મ યુવા ગ્રુપ ના રમેશ મુછડીયા,કરણ સીચણીયા,હરેશ ધેડા, શાન્તીલાલ નંજાર, વગેરે સદસ્યો,સાથે સમાજના તમામ મહેશ્વરી સમાજના લોકો અને ધર્મગુરુ શ્રીઓ તથા તમામ સમાજના આગેવાનો ધણીમાતંગ દેવની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા માં જોડાયા હતા.અને કોડાય પોલીસ અને જીઆરડી જવાનોનુ સારું એવુ સાથ સહકાર મળ્યો હતો જેથી બિદડા મહેશ્વરી સમાજ વતીથી કોડાય પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી અને પોલીસ જવાનો જીઆરડી જવાનોનુ દીલથી મહેશ્વરી સમાજ દ્વારા અભિવાદન કરાયું હતું.















