MODASA

મોડાસા : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દૂ પર્યટકોની હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દર દ્વારા મોડાસા ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા : જમ્મુકાશ્મીરના પહેલગામમાં હિન્દૂ પર્યટકોની હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દર દ્વારા મોડાસા ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન

જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં પર્યટકો પર આતંકવાદી હુમલામાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે.પહલગામમાં થયેલા ‘આતંકવાદી હુમલામાં ગુજરાતી લોકોના પણ મોત થયા હતા જેને લઇ હાલ દેશભરમાં રોશ જોવા મળી રહયો છે ઠેળ ઠેળ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દરે પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને આંતકવાદીઓ પર આક્રોશ વ્યક્ત કરીને અરવલ્લી જિલ્લાના મોડાસા ચાર રસ્તા ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દર દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા.મોડાસા ચાર રસ્તા પાસે આતંકવાદીના પૂતરાનું દહન કરવામાં આવ્યું હતું, ઉપરાંત ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.હુમલાખોરોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

સાથે આવતી કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદી ઘટનાને પગલે આવતીકાલે જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શહેર સંપૂર્ણ બંધ પાળશે. શહેરના તમામ વેપારીઓ બંધ પાળશે. શહેરના બજારો પણ બંધ પાળશે. જેમાં માર્કેટયાર્ડ સહિત બંધ રહેશે.

Back to top button
error: Content is protected !!