જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગ જેવી તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ !!!
22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack મુદ્દે ભારત દેશ અત્યારે વળતા પ્રહાર માટે તૈયાર છે. ભારતે ડિજિટલ સ્ટ્રાઈક અને ડિપ્લોમસી સ્ટ્રાઈક કરી દીધી છે. જે અંતર્ગત સિંધુ જળ સંધિ રદ, પાકિસ્તાનીઓના વિઝા રદ, અટારી બોર્ડર બંધ વગેરે આકરા નિર્ણયો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત Pahalgam Terror Attack બાદ ભારતની સંરક્ષણ ક્ષેત્રે પણ ચહલ પહલ વધી ગઈ છે. ભારતમાં થઈ રહેલી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભારત સરકારના સીધા દિશા-નિર્દેશ હેઠળ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર પણ સાવધ, સતર્ક અને સાબદું બની ગયું છે.
અત્યારે ભારત સુરક્ષા ક્ષેત્રે કોઈ કસર છોડવા માંગતું નથી. ભારતીય સેનાની તડામાર તૈયારીઓથી પાકિસ્તાન ધૃજી ઉઠ્યું છે. જો કે ભારત સરકાર અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર પણ સાવધ, સતર્ક અને સાબદું થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
સતર્ક બનેલા જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગ જેવી Adventure tourism ની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તમામ ટ્રેકિંગ અને હાઈકિંગ પ્રવૃત્તિઓને સ્થગિત કરી દેવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે બધા ટ્રેકર્સને જમ્મુ અને કાશ્મીરમાં ટ્રેકિંગથી દૂર રહેવાના નિર્દેશ કરાયો છે. આ પગલાથી સાહસિક પ્રવાસન ક્ષેત્ર પર નોંધપાત્ર અસર થવાની ધારણા છે. જે આ પ્રદેશના મુલાકાતીઓ માટે એક મુખ્ય આકર્ષણ ટ્રેકિંગ અને હાઈકિંગ છે.