NATIONAL
ઈદનો ચાંદ દેખાતા દેશભરમાં કાલે ઈદની ઉજવણી કરવામાં આવશે.
લખનૌમાં ઈદનો ચાંદ દેખાયો છે. ઈદગાહ ઈમામ મરકઝી ચાંદ કમિટીના પ્રમુખ ખાલિદ રશીદ ફરંગીએ જાહેરાત કરી છે કે આજે ઈદનો ચાંદ દેખાયો છે અને ઈદ આવતીકાલે 31 માર્ચે ઉજવવામાં આવશે.
ઈદનો તહેવાર નજીક આવતાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. તૈયાર કપડાં અને જૂતાની દુકાનોમાં ખરીદદારોની ભીડ ઉમટી પડી, જેને લઈને બજારો ધમધમી ઉઠી છે. ત્યારે, રમઝાનના છેલ્લા દિવસોને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટીતંત્રે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બજારો અને મંદિરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.