દિલ્હી હાઈકોર્ટમાં સોનમ વાંગચુકના અનશન ખતમ કરાવવા માટેની PIL, કોર્ટે સરકાર પાસે ૨૪ કલાકમાં જવાબ માંગ્યો

સોનમ વાંગચુકનું અનશન ખતમ કરાવવા માટે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી છે. 18 દિવસથી અનશન કરી રહેલા વાંગચુકના કેસને ‘અર્જન્ટ’ ગણાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે કેન્દ્ર અને દિલ્હી સરકારને આવતીકાલે (ગુરુવાર) સવાર સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.
અરજીકર્તા વકીલે કહ્યું, ‘ખૂબ જ કમનસીબ પરિસ્થિતિ છે. સામાજિક કાર્યકર્તા જે પોતાના મૌલિક અધિકારનો ઉપયોગ કરીને પ્રદર્શન કરી રહ્યા છે અને એક રીતે સમગ્ર દેશની સામે પોતાનો જીવ આપી રહ્યા છે.’ સૈનીએ અદાલતને કેન્દ્ર અને રાજ્ય સરકારને એવો નિર્દેશ આપવા માટે કહ્યું કે વાંગચુકને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે અને તેમને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે તથા અનશન ખતમ કરાવવામાં આવે.
જેના પર હાઈકોર્ટે કહ્યું, ‘કેન્દ્ર સરકાર તરફથી કોઈ હાજર થયું નથી. અમે અરજીની નોંધ લઈ રહ્યા છીએ. અમે આ મામલાની આવતીકાલે જ સુનાવણી કરીશું અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ લેવાની જરૂર છે.’
કોર્ટે આદેશની એક નકલ સંબંધિત એડિશનલ સોલિસિટર જનરલ અને દિલ્હી સરકારના વકીલને આપવાનો નિર્દેશ આપ્યો. હાઈકોર્ટની બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા બહિષ્કારના કારણે કેન્દ્ર અને દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં કોઈ હાજર થયું ન હતું.
નીટ પેપર લીકના કારણે કૉકરોચ જનતા પાર્ટી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહી છે. દિલ્હીના જંતર-મંતર પર 20 જૂનથી જ આ પ્રદર્શન ચાલી રહ્યું છે, જ્યારે સોનમ વાંગચુકએ આ જ મંચ પર 28 જૂનથી અનશનની શરૂઆત કરી હતી. 18 દિવસ પછી તેમનું વજન આશરે 8 કિલો ઓછું થઈ ગયું છે. તેઓ સહારો આપ્યા પછી પણ ખૂબ જ મુશ્કેલીથી નિત્યક્રમ માટે જઈ શકી રહ્યા છે.
પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જી, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત કેટલાય મોટા નેતાઓ સોનમ વાંગચુકને અનશન ખતમ કરવાની અપીલ કરી ચૂક્યા છે. છેલ્લા 2-3 દિવસમાં નેતાઓની અવરજવર પણ જંતર-મંતર પર વધી છે




